ઝઘડિયા તાલુકાના હરીપુરા મેન રોડ પર બસ સ્ટેન્ડ બનાવા અને બસ માટે વિધાર્થીઓને પડતી અગવડ માટે સાંસદને રજૂઆત

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા મેન રોડ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી સાથે સવારે રાજપીપલાથી આવતી બસ પેસેન્જરોથી ફુલ હોવાના કારણે વિધાર્થીઓને ભરૂચ, ઝઘડિયા અને રાજપારડી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડે છે જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી, હરીપુરા, ઉચ્છબના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપલાથી ભરુચ માટે બસ તો આવે છે પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી જેના જેથી બસ સ્ટેન્ડ પર ઊભી રાખવામાં આવતી નથી જેના કારણે રોજ-અપ ડાઉન કરતા હરીપુરા, રાજપરા,ઉચ્છબ,અને રૂપાણીયા મળી ચાર ગામના વિધાર્થીઓને મજબૂર થઈ પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડી છે જેથી વધુ એક બસ ઉમલ્લા, હરીપુરા, રાજપારડી, ઝઘડિયાથી ભરૂચના રૂટ પર ચાલુ કરવા માટે તેમજ હરીપુરા મેન રોડ પર બસ સ્ટેન્ડ બનાવાની મૌખિક રજૂઆત ભરુચના સાંસદ મનસુખ વસાવાને ગ્રામજનો દ્વારા કરવા આવી છે આગળ ચોમાસુ આવી રહ્યું છે જેથી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વરસાદ અને તડકાથી રાહત મળી શકે છે, ઉચ્ચબ ગામના જાગૃત નાગરિક યશવંત સિંહ છાસટીયા તંત્રને પણ અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હરીપુરા મેઈન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા અને રાજપીપળા ભરૂચ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!