વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના એક મહિના માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી અમલમાં મૂકી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના એક મહિના માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી અમલમાં મૂકી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે.

આ યોજનામાં ગઈકાલ સુધીમાં કોર્પોરેશનને 135 કરોડની આવક થઈ હતી. લોકો આ યોજનાનો હજી વધુ લાભ લઈ શકે તે માટે તેની મુદતમાં વધારો કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ યોજનામાં રહેણાક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5 ટકા વળતર અપાયું છે. ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કરીને રહેણાંક અને કોમર્શિયલમાં એક એક ટકો વધુ વળતરનો લાભ લીધો છે. મિલકત વેરાના અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ એક સાથે ભરપાઈ કરે તો તેમાં પણ વળતર આપવામાં આવ્યું છે. વળતર મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર, કંઝરવંશી અને સુવરેજ ટેક્સની રકમ પર અપાયું છે. શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. વર્ષ 2025-26 માં વેરાની આવકનો ટાર્ગેટ 807 કરોડનો મૂકવામાં આવ્યો છે.

  • Related Posts

    વડોદરામાં એક યુવતી સાથે દુષ્કર્મનો ચકચારી મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.

    વડોદરામાં એક યુવતી સાથે દુષ્કર્મનો ચકચારી મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. નંદેસરીમાં એક યુવતી પર દુષ્કર્મ…

    લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસે જુગારના જુદાજુદા બે કેસ કરી કુલ સાત જુગારીયાની અડધો લાખની મત્તા સાથે અટકાયત કરી છે.

    ન્યુ અલકાપુરીના શેરવુડ્સ બંગ્લોઝ પાછળ ખુલ્લમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતાં લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી પ્રવિણ હાવસિંગભાઇ અમલીયાર (ભેંસાસુરનગર, સમતા રોડ),રણજિત ડાહ્યા ભાઇ બારીયા(વૈકુંઠ ફ્લેટ, સમતા) અને સન્ની…

    error: Content is protected !!