
શિનોર તાલુકામાં એસ,સી, એસ,ટી યુવા સંગઠન દ્વારા સાધલી મુકામે બિરસા મુંડા સર્કલ પાસે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ની ઉજવણી કરવામાં આવી. બિરસા મુંડા સાહેબ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના પ્રતિમાને ફુલહાર કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી આજે વિશ્વ 1 મેં ને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે વાત કરીએ તો વર્ષો પહેલા જે કામદારો ને 14 કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને 1990 માં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે સ્થાપના કરવામાં આવી અને ત્યારથી 12 કલાક અને 8 કલાક એવા કામને કામગીરી નક્કી કરવામાં આવી ડોક્ટર બાબા સાહેબ બંધારણ ના કાયદા નક્કી કરવામાં આવ્યા મોંઘવારી ભથ્થા અને રજા લાભના વધારો લાવવો, કામકાજના કલાકો દરરોજ 14 થી ઘટાડીને 8 કલાક કરવા, તબીબી સુવિધાઓ અને વળતરની જોગવાઈ માટે કર્મચારી રાજ્ય વીમા ઈએસ આઇ ની સ્થાપના, મજૂર વિવાદ અધિનિયમ, કાનૂની હડતાલ,લઘુતમ વેતન,મહિલા શ્રમ કલ્યાણ નિધિ મહિલા કામદારો માટે કાયદો ઘડ્યો, હડતાલના અધિકારને માન્યતા આપવી. આવા કાયદા ઘડવામાં આવ્યા હતા મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એમાં ઉપસ્થિત મહેમાનો સાધલી ગામના જગદીશભાઈ પ્રજ્ઞાસુર્યા, કલ્પેશભાઈ વસાવા. જેસલભાઈ વસાવા, રમેશભાઈ ફોફડીયા, કનુભાઈ ફ્રુટવાળા ગામજનો હાજર રહ્યા હતા…
રિપોર્ટર :- મેહુલ પટેલ, શિનોર