વડોદરામાં બાળમજૂરી કરાવનાર માણેકપાર્ક સર્કલ પાસે રજવાડી ચાના વેપારીની અટકાયત

AHTU ની ટીમે રેડ કરીને બાળકને સંચાલકના ચુગાલમાંથી મુક્ત કરાવ્યો, પોલીસ દ્વારા બાળકને સહી સલામત તેના પરિવારને સોંપાયો

પ્રતિનિધિ વડોદરા તા.8

વડોદરાના હરણી વિસ્તારમાં માણેકપાર્ક સર્કલ પાસે રજવાડી ચાની દુકાનમાં એએચટીયુની ટીમે રેડ કરીને બાળ મજુરી કરતા એક સગીર બાળકને મુક્ત કરાવ્યો હતો. જ્યારે બાળકનું આર્થિક તથા શારિરીક શોષણ કરીને મજુરી કરાવતા વેપારીની પોલીસે અટકાયત કરી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

વડોદરાના હરણી વિસ્તારમાં માણેકપાર્ક સર્કલ પાસે રજવાડી ચાની દુકાનમાં એએચટીયુની ટીમે રેડ કરીને બાળ મજુરી કરતા એક સગીર બાળકને મુક્ત કરાવ્યો હતો. જ્યારે બાળકનું આર્થિક તથા શારિરીક શોષણ કરીને મજુરી કરાવતા વેપારીની પોલીસે અટકાયત કરી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ચાની દુકાન તથા હોટલ રેસ્ટોરન્ટના વેપારીઓ નાની વયના બાળકોને નોકરી પર રાખીને તેમનું આર્થિક શારીરિક શોષણ કરતા હોય છે. જેથી એન્ટી હ્યુમન ટ્રાફિક સ્કોડ દ્વારા આવા બાળકોનુ શોષણ કરતા વેપારીઓની ધરપકડ કરતી હોય છે. ત્યારે 8 ફેબ્રુઆરીના રોજ એએચટીયુની ટીમ હરણી રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે માણેકપાર્ક સર્કલ પાસે આવેલા રજવાડી ચાયનો માલિક નાના બાળકોને નોકરી પર રાખીને તેમની પાસે બાળમજૂરી કરાવે છે. જેથી એએચટીયુની ટીમ દ્વારા રજવાડી ચાની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી એક 16 વર્ષનો બાળક કામ કરતા જણાઇ આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા બાળકને દુકાનના માલિકના ચુગાલમાંથી મુક્ત કરાવીને તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે દુકાનના માલિક દેવીલાલ લવજી પાટીદાર (મૂળ રહે. વનોરી, પો. હાડમલા, તા.સાગવાડા જિ. ડુંગરપુર, રાજસ્થાન)ને ઝડપી પાડીને તેના વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

 

  • Related Posts

    શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવા ના પુત્ર ની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે…

    એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મેરી આસ્થા મેરા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!