કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડી રાત્રે ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ

ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા; રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૩; જાન-માલનું નુકસાન નહીં

મંગળવાર એટલે કે ગઈકાલનો દિવસ જાણે ભારત માટે ભારે રહ્યો હતો. બપોરે જમ્મુ-કાશ્મીર ના પહેલગામ માં થયેલા આતંકવાદી હુમલા માં ૨૬ લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે ગુજરાતના કચ્છ માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા ૪.૩ નોંધાઈ હતી.

૨૨ એપ્રિલની રાત્રે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભારતીય સમય મુજબ રાત્રે ૧૧:૨૬ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા, NCS એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 23.52° ઉત્તર અક્ષાંશ અને 69.95° પૂર્વ રેખાંશ પર હતું. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

 

  • Related Posts

    અમરેલીમાં પ્રાઇવેટ મિની પ્લેનના ક્રૅશમાં ટ્રેઇની પાઇલટે જીવ ગુમાવ્યો

    ઘટનાના પગલે પોલીસ અને ફાયર-બ્રિગેડે ત્યાં પહોંચીને બચાવ-કામગીરી હાથ ધરી હતી અને પાઇલટને બહાર કાઢીને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો સૌરાષ્ટ્રના અમરેલીમાં ગઈ કાલે ખાનગી કંપનીનું મિની…

    છાણી વિસ્તારમાં થી એમ્બ્યુલન્સની ચોરી કરી પલાયન થયેલ આરોપીને પોલીસે ભરૂચ ટોલ પ્લાઝાથી ઝડપી પાડ્યો હતો

    શહેરમાં પાર્કિંગના સ્થળોએથી સ્કૂટર,બાઈક, રિક્ષા, કાર ટ્રક અને ટ્રેલર જેવા વાહનોની ચોરીઓના બનાવો બનતા હોય છે. પરંતુ ગઈકાલે એમ્બ્યુલન્સની ચોરીનો બનાવ બન્યો હતો. નડિયાદ સિવિલ હોસ્પિટલની પાસે યોગીરાજ સોસાયટીમાં રહેતા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!