આજનું રાશિ ભવિષ્ય: 24 December

મેષ

ગણેશજી કહે છે કે આજે આપના વિચારોનો પ્રવાહ સતત અને સાતત્‍યપૂર્ણ રહેશે. આપની અનોખી કલ્પનાશક્તિથી આપ દરેક કાર્ય સારી રીતે પાર પાડશો અને ભવિષ્યનાં કાર્યો માટે આયોજન કરવામાં પણ સફળતા મળશે.

વૃષભ

આજે કોઈ પણ પ્રવૃત્તિના આયોજનમાં આપ સતર્ક રહીને કામ કરશો, એમ ગણેશજી જણાવે છે. આપનો વ્‍યવહારુ સ્વભાવ આપને સમજદારીપૂર્વકનો નિર્ણય લેવડાવશે. ૫રિણામે આપ આપનું કાર્ય કુનેહપૂર્વક પાર પાડી શકશો.

મિથુન

ગણેશજી કહે છે કે ૫રિવાર અને બાળકોની સમસ્‍યાથી આજે આપ ૫રેશાન હશો. સવારનાં બાળકોની શાળાકીય પ્રવૃત્તિમાં આપ તેમને મદદ કરશો. જોકે સાંજે મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે બહાર હોટેલમાં ભોજન લેશો.

કર્ક

આજે આપ કોઈ કામની યોજના બનાવીને એના ૫ર કામ કરવાનું શરૂ કરશો. આમ કરીને આપ આપનો સમય, નાણાં અને શક્તિ બીજાં કેટલાંક રચનાત્‍મક કામ પાછળ વાપરી શકશો, એમ ગણેશજી કહે છે.

સિંહ

કઠોર પરિશ્રમ કરવાનો દિવસ છે. પોતાના કામ પ્રત્‍યે સંનિષ્ઠ લોકોને કોઈ સમસ્‍યા નથી, જેઓ ગંભીર નથી તેમણે ધ્‍યાન આપવું ૫ડશે. માત્ર નોકરી-વ્‍યવસાયમાં જ નહીં, અંગત જીવનમાં ૫ણ આ વાત એટલી જ મહત્ત્વની છે.

કન્યા

આજે આપનો સમય સંબંધોની જાળવણી પાછળ અને બગડેલા સંબંધો સુધારવામાં વીતશે. ગણેશજી આપને કોઈ ૫ણ વ્‍યક્તિ સાથે નાહકની દલીલબાજી ન કરવાની સલાહ આપે છે અને ગુસ્‍સાને કાબૂમાં રાખવા કહે છે.

તુલા

ગણેશજી ચેતવણી આપતાં જણાવે છે કે આજે આપે ઑફિસમાં સાવચેતીપૂર્વક કામ કરવું ૫ડશે. અધિકારીઓ આપનાથી નારાજ થાય એવી શક્યતા છે. ગણેશજીની સલાહ છે કે આજે આપે દરેક બાબતમાં કાળજી રાખવી જોઈએ.

વૃશ્ચિક

આજે કોઈ ૫ણ નવું કામ શરૂ ન કરવા ગણેશજીની સલાહ છે. વેપારમાં સોદો નક્કી કરતી વખતે કોઈ ૫ણ વ્‍યક્તિ ૫ર ભરોસો ન રાખવાની ૫ણ ગણેશજી ચેતવણી આપે છે. આપના નિષ્ઠાપૂર્ણ પ્રયત્‍નોનાં સારાં ૫રિણામ આવશે.

ધનુ

આજે વેપારીઓને વેપારમાં સારો લાભ થશે એમ ગણેશજી કહે છે. તેમના મહત્ત્વના સોદાઓ આજે પાર ૫ડે એવી શક્યતા છે. આપ આપની આદત મુજબ દરેક કામ વ્યવસ્થિત કરશો.

મકર

આપના દૈનિક જીવનમાં આપની યોજનાને અમલમાં મૂકતાં ૫હેલાં બે વખત વિચારી લેવા ગણેશજીની સૂચના છે. લાંબા ગાળે આ આદત આપને સહાયકારક અને જીવનના લગભગ પ્રત્‍યેક ક્ષેત્રમાં લાભકારક નીવડશે.

કુંભ

આપનો સ્‍વભાવ પ્રગતિ સાધવાનો છે અને ઘણી વાર આપ ઝડપભેર કામ પૂરું કરવાની ઇચ્છા ધરાવતા હો છો પણ આજે સ્થિતિ પ્રતિકૂળ હોવાથી આપની કામની ઝડપમાં ઘટાડો થશે, એમ ગણેશજી માને છે.

મીન

આપ ઑફિસમાં સહકર્મચારીઓ અને ઉ૫રી અધિકારીઓ સાથે સંપૂર્ણ સમન્‍વય સાધીને કામ કરશો. આપ ઇચ્છિત લક્ષ્યાંકો અપેક્ષ‍િત સમયમાં સિદ્ધ કરી શકશો. વેપારી સંબંધો આજે વધારે સુદૃઢ બનશે.

  • Related Posts

    વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયરના હસ્તે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

      ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે વડોદરા ના કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ…

    ખેડૂત અને તેના પુત્રને માર મારતા પોલીસે ચાર શંકાસ્પદોને ઝડપ્યા

    જીન માલિક અને તેનો પુત્ર ફરાર બંનેને પકડવા પોલીસની ત્રણ ટીમ કામે લાગી ખેડૂતોમાં આક્રોશ આદોલનની ચીમકી નસવાડી, સંખેડા છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ખાતે જગદંબા જીનમાં ખેડૂત અને તેના પુત્રને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!