
ડો.બાબાસાહેબ આંબેડકર અને મહાવીર જયંતિ જેવી સરકારી રજાઓના દિવસે શાળા ચાલુ રાખી સરકારી આદેશનું ઉલ્લંધન કરનાર ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા ડીઈઓને રજૂઆત કરવામાં આવી હતી.
તા. ૧૪મી એપ્રિલ, ૨૦૨૫ ને સોમવારના રોજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિએ જાહેર રજા મંજૂર કરેલ હોય ત્યારે વડોદરા ની મકરપુરા, અટલાદરા, કલાલી સ્થિત આવેલ ફોનિકસ સ્કૂલ દ્વારા શાળા ચાલુ રાખવામાં આવેલ હતી. આ શાળાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંધન કરેલ છે.આ મામલે મંગળવારે બપોરે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી