ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે સંકલ્પ ભૂમિ ખાતે દેશ-વિદેશમાંથી અનુયાયીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી

આજે સમગ્ર દેશભરમાં ભારતના બંધારણના ઘડવૈયા  ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતી ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ પર પણ દેશ-વિદેશમાંથી અનેક અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની કાર્યસાધનાને વંદન કર્યું હતું.

આ પ્રસંગે  રાજસ્થાનના ભરતપુર લોકસભાના યુવા મહિલા સાંસદ સંજના જાટવ તેમની સમગ્ર ટીમ સાથે સંકલ્પ ભૂમિ ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાંસદે જણાવ્યું હતું કે, “બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણના કારણે જ હું આજે શિક્ષિત બની શકી છું અને સંસદ સુધીની યાત્રા કરી શકી છું. એમનું માર્ગદર્શન દરેક પીડિત, વંચિત અને પાછળ પડેલા લોકો માટે આશાની કિરણ સમાન છે.”

  • Related Posts

    શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવા ના પુત્ર ની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે…

    એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મેરી આસ્થા મેરા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!