જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમારની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૪-૨૫ના આયોજન માટેની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ.

૩ વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામોની સમીક્ષા કરતા અન્રાન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહ પરમાર

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કચેરી હસ્તકના અને જિલ્લાના વિવિધ વિભાગોના ૩ વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામો પૈકી પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃતમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ના આયોજન અંગે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હ્તી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને ધારાસભ્યઓએ આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સર્વે ધારાસભ્યઓ જયંતીભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહભાઈ તડવી, ડીઆરડીએના નિયામક કે ડી ભગત, તાલુકા પંચાયતના પ્રમુખ, સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

  • Related Posts

    વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયરના હસ્તે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

      ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે વડોદરા ના કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ…

    ખેડૂત અને તેના પુત્રને માર મારતા પોલીસે ચાર શંકાસ્પદોને ઝડપ્યા

    જીન માલિક અને તેનો પુત્ર ફરાર બંનેને પકડવા પોલીસની ત્રણ ટીમ કામે લાગી ખેડૂતોમાં આક્રોશ આદોલનની ચીમકી નસવાડી, સંખેડા છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ખાતે જગદંબા જીનમાં ખેડૂત અને તેના પુત્રને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!