શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન

વડોદરા શહેરમાં હનુમાન જન્મોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગોત્રી વિસ્તારમાં આવેલ ધનિશા નગર સોસાયટી ખાતે હનુમાનજી મંદિર પર યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક સપન બલામૃતજી ખાસ હાજર રહ્યા હતા, જેમણે પોતાના મીઠા સ્વરે સુંદરકાંડ પાઠ રજૂ કરતા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

આ આયોજનમાં સ્થાનિક આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો તેમજ વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આયોજકો દ્વારા સર્વે ભક્તજનોને ભાવભેર આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

  • Related Posts

    એક કરુણ અંત: માંગલેજમાં પિયર જવા ન મળતા પરિણીતાનો આપઘાત

    જીવનની નાજુક ક્ષણોમાં જ્યારે સંબંધોની ગૂંચવણ અને અપેક્ષાઓનો ભાર અસહ્ય બની જાય છે, ત્યારે ક્યારેક અણધાર્યા અને કરુણ અંત આવે છે. કરજણ તાલુકાના માંગલેજ ગામેથી આવેલી એક હૃદયદ્રાવક ઘટના આવી…

    વોર્ડ નંબર 12 ના વિકાસ લક્ષીના કામોને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન

    વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરગામ વાગી ચૂક્યા છે ત્યારે વોર્ડ નંબર 12 માં આવેલી કાલિદાસ ચાલ અને વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોર સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું…

    error: Content is protected !!