આ વર્ષ પણ ભક્તિ અને ઉત્સાહ સાથે પાંગુની ઉત્થિરમ ઉત્સવ વડોદરાના સ્ટેશન રોડ સ્થિત શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિરમાં ઉજવવામાં આવ્યો. આ પવિત્ર પ્રસંગે વહેલી સવારે મંદિર ખાતે વિશેષ પૂજા અને અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.
ઉત્સવ દરમિયાન ભગવાન કાર્તિક સ્વામીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભક્તો દ્વારા ભજન-કીર્તન અને ધૂનના ગાન સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. મંદિરને રંગબેરંગી લાઇટ્સ અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ અવસર પર ખાસ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આયોજકો દ્વારા વ્યવસ્થાનો સુંદર રીતે સંભાળ રાખવામાં આવ્યો હતો, જેથી ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો.
આ રીતે પાંગુની ઉત્થિરમ ઉત્સવ ભક્તો માટે આધ્યાત્મિક આનંદ અને એકતા નો સંદેશ આપી સફળતાપૂર્વક ઉજવાયો





