કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડી રાત્રે ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ

ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા; રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૩; જાન-માલનું નુકસાન નહીં

મંગળવાર એટલે કે ગઈકાલનો દિવસ જાણે ભારત માટે ભારે રહ્યો હતો. બપોરે જમ્મુ-કાશ્મીર ના પહેલગામ માં થયેલા આતંકવાદી હુમલા માં ૨૬ લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે ગુજરાતના કચ્છ માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા ૪.૩ નોંધાઈ હતી.

૨૨ એપ્રિલની રાત્રે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભારતીય સમય મુજબ રાત્રે ૧૧:૨૬ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા, NCS એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 23.52° ઉત્તર અક્ષાંશ અને 69.95° પૂર્વ રેખાંશ પર હતું. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

 

  • Related Posts

    કલાનગરી વડોદરા ના આંગણે એન કે આર્ટ દ્વારા 26 અને 27મી એપ્રિલના બે દિવસીય ગ્રુપ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે 

    કલાનગરી વડોદરા ના કલાકારોએ પોતાની કલાના માધ્યમથી દેશ વિદેશમાં નામના પ્રાપ્ત કરી છે વડોદરા શહેરના બદામડી બાગ સ્થિત સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે 26 અને 27મી એપ્રિલના રોજ બે દિવસીય…

    પહલગામમાં થયેલ આંતકી હુમલાના મૃતક સ્વજનોના બાળકોના શિક્ષણની જવાબદારી સુરતનું પી.પી. સવાણી ગ્રુપ ઉઠાવશે

    સુરત : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ સમયે પી. પી. સવાણી પરિવાર આ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!